ટેરાની ભાવના
મંગલભોગ, શૃંગારભોગ, રાજભોગ વિગેરે ભોહ ધર્યા પછી ટેરો (પડદો) કરવામાં આવે છે. આ ટેરો માયારુપ છે. માયા બે પ્રકારની છે.
૧. અવિધારુપ માયા - જે આપણું મન પ્રભુની સેવામાં લાગવા દેતી નથી.
૨. વિધારુપ માયા. - જે માયામાં સહાયક છે.
(૧) ભોગ ધરતાં ટેરો કરીએ છીએ તે વિધારુપ માયા છે, ભોગ સામગ્રી સ્વરુપાત્મક છે અને પ્રભુ ભોગ કર્તા છે. તેથી પ્રભુ એકાંતમાં ભોગ આરોગી શકે તેવી ભકતની મનોકામના ભાગરુપે માયારુપ ટેરો કરવામાં આવે છે.
(૨) વાત્સલ્યમાં ટેરો કરવાથી કોઇની નજર (દ્રષ્ટિ) લાગે નહિં. કુમારિકાનાભાવમાં શ્રીસ્વામિનીજી પધાર્યા છે, તેવી રીતે બાલભાવથી પ્રભુને શ્રીયશોદાજી જે તે સમયના ભોગ ધરે છે. આ લીલાને ગુપ્ત રાખવા માટે ટેરો માયારુપે માનીને કરવામાં આવે છે.
https://m.facebook.com/PushtiSaaj/
Opmerkingen