top of page
Search

●શ્રીમહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવો પાસેથી શીખીએ●

Writer's picture: Reshma ChinaiReshma Chinai

●શ્રીમહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવો પાસેથી શીખીએ●


(૧) દામોદરદાસ હરસાની પ્રભુ-ગુરૂ પાસે દીનતા રાખવી; ‘સાભળ્યું, પણ સમજ્યો નહી’


(૨) કૃષ્ણદાસ મેઘન ગુરૂ પાસે હઠ કરી, કશું માગવું નહિ; જૂના ગુરુ પાસે હાથમાં અગ્નિ લઈ, પરીક્ષા આપી.


(૩) દામોદરદાસ સંભરવાળા શ્રી ઠાકોરજીને(ફક્ત)‘બ્રહ્મ’ નહિ, પણ‘યશોદા-ઉત્સંગ-લાલિત’ જાણવા;બિલાડીએ શૈયા બગાડી તે, - દામોદરદાસની લૂંડી ‘મન, ત્યાં દેહ’; સેવામાં દામોદરદાસનું મન ઘોડા ખરીદવા માટે બજારમાં


(૪) પદ્મનાભદાસ પ્રભુ એક સામગ્રી પણ ભાવ હોય, તો જુદી જુદી ગણી આરોગે છે. છોલાના ભોગ.

બેટી તુલસાં ઉત્કંઠા હોય તો પ્રભુ બીજું સ્વરૂપ ધરી સેવા કરાવે છે; છોટા મથુરેશજી

બેટાની વહુ પાર્વતી ગુરૂ અને પ્રભુ-કૃપાથી અસાધ્ય રોગ પણ મટી જાય છે; સફેદ કોઢ મટી ગયો.

પાર્વતીના બેટા રઘુનાથદાસ પુષ્ટિમાર્ગના જ્ઞાન પાસે શાસ્ત્રજ્ઞાન ગૌણ છે; માર્ગીય ગ્રંથ ભણવાથી પંડિત થયા.


(૫) રજોબાઈ ક્ષત્રાણી ઠાકોરજીની વસ્તુ લૌકિક કામ માટે ન વપરાય; શ્રાદ્ધ માટે ઘી ન આપ્યું.


(૬) શેઠ પુરૂષોત્તમદાસ પ્રભુસેવામાં હમેશા યુવાવસ્થા જ છે; બુહારી કરતાં ગોપાલદાસને દેખાડ્યું.

બેટી રૂક્ષ્મણી પ્રભુસેવામાં જ બધાં તીર્થો આવી જાય છે; ગંગા-સ્નાન ન કર્યું.

બેટા ગોપાલદાસ ભગવદ્વાર્તામાં શ્રી ઠાકોરજી બિરાજે છે; શ્રીમદનમોહનજી હુંકારો આપતા હતા.


(૭)રામદાસ સારસ્વત ભક્તની પાછળ ભગવાન ફર્યા કરે છે; ભગવાન ભક્ત-વત્સલ છે.


(૮)ગદાધરદાસ ભગવાનને સ્વહસ્તે કરેલી સામગ્રી ધરવી; હલવાઇની જલેબી ધરી, પણ પોતે ન લીધી.


(૯) માધવદાસ વેણીદાસ ભગવદીયના વરદાનથી બધું શક્ય છે : વેશ્યામાંથી પ્રભુસેવામાં મન વાળ્યું.


(૧૦) હરિવંશ પાઠક પ્રભુની ભક્તિ ગુપ્ત રીતે કરવી; હાકેમને ડોલ માટે ગામ ગયા હતા, તે ન કહ્યું.


(૧૧) ગોવિંદદાસ ભલ્લા ગુરૂ-દ્રવ્ય અને પ્રભુ-દ્રવ્ય કેમ ખવાય ? આજ્ઞા છતાં પ્રસાદ ન લીધો, પણ ના પાડવાથી સેવા છોડી.


(૧૨) અમ્મા ક્ષત્રાણી શ્રીઠાકોરજી પણ લૌકિક અનુભવ કરાવે છે; દીકરો મરતાં ઠાકોરજી પણ રડવા લાગ્યા, હજી ટોપી ધરતા નથી.


(૧૩) ગજ્જન ધાવન ક્ષત્રી પ્રભુ અને સેવક એકબીજા વિના રહી શકતા નથી; પ્રભુ રાજભોગ ન આરોગ્યા, ગજન પાન લેવા ગયા, ત્યાં જ પ્રભુ-વિયોગે બેહોશ થઇ ઢળી પડ્યા.


(૧૪) નારાયણદાસ બ્રહ્મચારી ગમે તેવું જરૂરી કામ હોય તો પણ ગરમ ખીર તો ન જ ધરવી; ચંદ્રમાજી, ગરમ ખીરથી દાઝ્યા.


(૧૫) મહાવનની એક ક્ષત્રાણી પ્રભુ કૃપા કરે તો ગમે ત્યાંથી પ્રાપ્ત થાય છે; ચાર-સ્વરૂપ જમનાજીમાંથી મળ્યાં.


(૧૬)જીયદાસ સૂરી ક્ષત્રી પ્રભુ ધારે તો થોડી સેવા કરાવીને પણ લીલામાં લઈ લે છે; ચાર પહોર જ સેવા કરાવી.


(૧૭) દેવા કપૂર ક્ષત્રી જેની સેવા લેવી હોય, તેની જ લે છે; સંસ્કાર કરી આવ્યા ત્યારે શ્રીઠાકોરજી અંતર્ધાન થઈ ગયા હતા.


(૧૮)દિનકર શેઠ ક્ષત્રી શ્રીમહાપ્રભુજીનો અનુગ્રહ; અંગાખરી (કાચી)રોટી ન ધરશો, તમે આવશો, પછી જ કથા શરૂ કરીશું.


(૧૯) દિનકરદાસ મુકુંદદાસ કાયસ્થ ભાગવત જ્ઞાન કરતાં સુબોધિનીજી જ્ઞાન ઊંચું છે: એક શ્લોક એક મહિના સુધી સાંભળી, પંડિત મોહ પામ્યો.


(૨૦) પ્રભુદાસ જલોટા

વૈષ્ણવ આગળ મુક્તિની કિંમત નથી; દહીંના બદલામા મુક્તિ આપી.


(૨૧) પુરૂષોત્તમદાસ, સ્ત્રી પુરુષ આગ્રાના પ્રસાદ કરતાં, ચરણ-સેવા ઉત્તમ ગણી; ચરણસેવા કંઇ ફરી મળશે નહિં.


(૨૨) પ્રભુદાસ ભાટ પ્રભુસેવા આગળ પ્રથોદિક તીર્થ તુચ્છ છે; પાછા આવી, પ્રભુ સેવા કરી, દેહ છોડ્યો.


(૨૩) ત્રિપુરદાસ કાયસ્થ ઠાકોરજી ભક્તનું અંગીકાર કરે છે જ; કવાઇ (અંગરખી) વિના, સગડી છતાં ટાઢ ન સમાઇ.


(૨૪) પુરણમલ ક્ષત્રી પ્રભુ સેવાનો બદલો આપે જ છે; મંદિર બંધાવ્યાની સેવાના બદલામાં, અરગજા એમના હાથે અંગીકાર કરી.


(૨૫) યાદવેન્દ્રદાસ કુંભાર ગુરૂકૃપાથી બધું શક્ય છે; અઢી રાતમાં જ મંદિરનો પાયો નાખવા, નીમ ખોદી કાઢી.


(૨૬) ગુસાંઇદાસ સારસ્વત વૈષ્ણવને ‘ઠાકોરજી પાછા નહિ લઉં’ તે વચન આપ્યું તે પાળ્યું; બદ્રિકાશ્રમમાં દેહ છોડ્યો, પાછા ન જ આવ્યા.


(૨૭)માધવભટ્ટ કાશ્મીરી ભક્ત-વચન સાચું જ પડે છે; ગામના શાહુકારનો દીકરો જીવતો કર્યો.


(૨૮) ગોપાલદાસ વાંસવાડાના ભક્ત-વચન પ્રભુ સાચું જ કરે છે; અડેલમાં પદ્મા રાવલને મહાપ્રભુજીમાં રણછોડજીનાં દર્શન થયાં.


(૨૯) પદ્મારાવલ સાંચોરા શ્રીઠાકોરજીને ઘી વગર રોટી ના ધરવી; કોરી રોટીથી પેટમાં દુઃખતાં ગોપાલદાસે ચૂર્ણ ધર્યું.


(૩૦) પુરુષોત્તમ જોશી સાંચોરા વૈષ્ણવને આગ્રહ કરી, ઘરે રોક્યા; પદ્મા રાવલના દિકરા કૃષ્ણ ભટ્ટે પુરૂષોત્તમ જોશીને રોકી રાખ્યા.


(૩૧) જગન્નાથ જોશી ખેરાળુના પ્રભુને કશું છોવાતું નથી; સુતરાઉ વાઘા પહેરી, આરોગતાં છોવાઇ જશે, એ વિચારે પ્રભુએ થાળ નાખી દીધા.

માતા: શ્રીમહાપ્રભુજી અંતરયામી છે; બેઉ ભાઇઓ પાસેથી, માની લાકડીમાં મોકલેલ મહોરો માંગી લીધી.

નરહરિ જોશી વૈષ્ણવ અગ્નિને પણ વશ કરી શકે છે; તુલસીપત્રને જલકુંડાળું કરી, અલિણામાં આગ બુઝાવી.


(૩૨) રાણા વ્યાસ સાંચોરા વૈષ્ણવ ઘણા દયાળુ હોય છે; ડોકું ધુણાવી, રજપુતાણીને સતી થતાં અટકાવી


(૩૩) રામદાસ સાંચોરા પ્રભુ-આજ્ઞાથી સ્ત્રીનો ત્યાગ કરવો; રણછોડજીની આજ્ઞાથી પોતે નામ દઈ પરચારગી કરાવી. પછી મહાપ્રભુજી પાસે નિવેદન કરાવી, રસોઇની સેવા સોંપી.


(૩૪) ગોવિંદ દુબે સાંચોરા શ્રીમહાપ્રભુજીની કથામાં વાતો ન કરવી; શ્રીરણછોડજી સાથે પણ વાતો કરતાં, પ્રસાદ બંધ થયો.


(૩૫) રાજા દુબે, માધા દુબે વૈષ્ણવની કૃપાથી બધું સાધ્ય છે; મોટાભાઇની રજાથી, બ્રાહ્મણને ‘પુરુષોત્તમ સહસ્ત્રનામ’ સંભળાવવાથી વિદ્વાન થઈ ગયો.


(૩૬) ઉત્તમશ્લોકદાસ સાંચોરા ‘ટહેલવાળાઓને’ (સેવકોને) મહાપ્રસાદ આગ્રહ કરી લેવડાવતા; માણસો સારા હોય તો શ્રીની સેવા કરી શકે.


(૩૭) ઈશ્વર દૂબે સ્વ-દ્રવ્યનો સેવામાં વિનિયોગ; પોતાના ઘરનું ઘી લાવી પીરસતા.


(૩૮) વાસુદેવદાસ છકડા શ્રીઠાકોરજીની સામગ્રી અને પ્રસાદનું ધ્યાન રાખવું; પ્રસાદ કેડે બાંધ્યો. સામગ્રી માથે ધરી ચાલ્યા.


(૩૯)બાબા વેણુ, કૃષ્ણદાસ ઘઘરી ‘માલા’ પણ વિદાયસૂચક હતી; માલા ધારણ કરી, ધ્વજાજીને દંડવત્ કરી દેહ છોડ્યો.

કૃષ્ણદાસ કીર્તન કરતાં કરતાં દેહ છોડવો ઉત્તમ છે.

જાદવદાસ ખવાસ વૈષ્ણવને પોતાના માટે પરિશ્રમ ન આપવો; પોતે ચિતા ખડકી તૈયાર કરી રાખી.


(૪૦) જગતાનંદ વ્યાસ થાનેશ્ર્વરના ગાદીનું અપમાન ન કરવું; શ્રીમહાપ્રભુજીએ પણ નીચે વસ્ત્ર બિછાવી, ત્યાં બિરાજીને કથાના અર્થ કર્યા


(૪૧) આનંદદાસ વિશ્ર્વભંરદાસ વાર્તામાં પ્રભુને પણ રસ હોય છે (પ્રભુ પણ પધારે છે); એક ભાઈ ઊંઘતા.

વિશ્વંભરદાસ પ્રભુ વાર્તા ચાલુ રાખવા હુંકારો કરતા.


(૪૨) અડેલની ગરીબ ક્ષત્રાણી ભાવ હોય, તો આચાર-વિચાર પ્રભુ જોતા નથી; માટીના કુંજામાં જલ ધરતી, રોટી તૈયાર કરે કે તરત ચોપડ્યા વિના પ્રભુ આરોગી લેતા.


(૪૩) એક ક્ષત્રાણી પ્રયાગની ચરખાવાળી :પ્રણાલિકા બંનેએ તોડી; પ્રભુ ધર્યા વિના લાડુ આરોગ્યા. ક્ષત્રાણીએ આઠ દિવસની સામગ્રી તૈયાર કરી રાખી, રોજ તાજી સામગ્રી કરી, પ્રભુને ધરાવી.


(૪૪) ગોરજા સમરાઈ સાસુ-વહુ શ્રીઠાકોરજીના પેટમાં આટલી વાત પણ ન રહી; શ્રીમહાપ્રભુજીએ વહુને પૂછ્યું.

સાસવહુ શ્રીઠાકોરજી સાનુભાવ જતાવે છે; આરોગવા છતાં પ્રસાદ અકબંધ રહેતો. શ્રીઠાકોરજીના હાથમાં પદ્મ છે, તેથી ખૂટે નહિ.


(૪૫) કૃષ્ણદાસી ખવાસની શ્રીપ્રભુએ વૈષ્ણવની આડી રાખી; દાસીના કહ્યા પ્રમાણે પ્રગટ્યા. શ્રીવલ્લભ નામ, છતાં દાસીની આડીથી ‘ગોકુલનાથજી’નામ રાખ્યું.


(૪૬) બુલામિશ્ર સારસ્વત પંડિત વૈષ્ણવ અશક્યને પણ શક્ય કરી શકે છે. હરિવંશ પાઠકની સ્ત્રીને ઉંમર વટાવી જવા છતાં એક શ્લોક સંભળાવી પુત્ર આપ્યો.


(૪૭)રામદાસ પુરોહિત (મીરાબાઈના) શ્રીઠાકોરજી અને શ્રીમહાપ્રભુજી એક જ છે. બંનેમાં મીરાંએ ભેદ દ્રષ્ટિ રાખી, તેથી મોઢું ન જોયું અને ગામ છોડ્યું.


(૪૮) રામદાસ ચૌહાણ પ્રભુ કૃપા કરે તો જાત જોતા નથી; ચૌહાણ હોવા છતાં શ્રીમહાપ્રભુજીએ શ્રીજીની સેવા સોંપી.


(૪૯) રામાનંદ પંડિત ‘સિદ્ધાંત-રહસ્ય’નું વચન પ્રભુ પાળે છે; શ્રીમહાપ્રભુજીએ ત્યાગ કરવા છતાં શ્રીજી એમની જલેબી આરોગ્યા.


(૫૦) વિષ્ણુદાસ છિપા શ્રીવલ્લભના ઘર સિવાય એમની જ્ઞાતિનો પ્રસાદ લેવાય નહિ. શ્રીગુસાંઈજીનું જૂઠણ લીધું; પણ સસરાના ત્યાંનું કશું લીધું નહિં.


(૫૧) જીવણદાસ ક્ષત્રી કપુર વૈષ્ણવ ઇંદ્રને પણ રોકી શકે છે; રસોઇ વખતે વરસાદ પડતાં, શ્રીમહાપ્રભુજીની આણ દઈ, રોકી રાખ્યો.


(૫૨)ભગવાનદાસ સારસ્વત શ્રીમહાપ્રભુજી ભૂતલ પર બિરાજે છે જ; આસુરવ્યામોહ લીલા પછી પણ પોતાના ઘરે પાદુકાજીનાં દર્શન કરાવતાં વૈષ્ણવોને સાક્ષાત્ શ્રીમહાપ્રભુજીનાં દર્શન થયાં.


(૫૩)ભગવાનદાસ સાંચોરા શ્રીજીના ભીતરિયા સામગ્રી સંભાળથી કરવી; જીવ દોષથી ભરેલો છે. શ્રીજીના કહેવાથી શ્રીગુસાંઈજીએ ત્યાગ કર્યો. અચ્યુતદાસે કહ્યું, ‘જીવ દોષથી ભરેલો છે જીવના દોષ જોશો તો તે ક્યાં જશે ?’


(૫૪) અચ્યુતદાસ સનોઢિયા બ્રાહ્મણ: વૈષ્ણવે પરમાર્થ કરવો; શ્રીગુસાંઇજીએ વિનંતી કરી, ભગવાનદાસને સેવા અપાવી.


(૫૫) અચ્યુતદાસ ગૌડ-બ્રાહ્મણ શ્રીગિરીરાજજીની એક સાથે ત્રણ પરિક્રમા કરવાથી દર્શન દે છે(૧) ગાયરૂપે (૨) સિંહરૂપે(૩) ગ્લાવરૂપે અને(૪) ગૌર-ભુજંગરૂપે


(૫૬) અચ્યુતદાસ સારસ્વત બ્રાહ્મણઃ શ્રીમહાપ્રભુજી ભૂતલ પર બિરાજે છે જ; ‘આસુરવ્યામોહ લીલા પછી, ઉત્થાપન વખતે વૈષ્ણવોને પોથી વાંચતા આચાર્જીનાં દર્શન કરાવ્યા.’


(૫૭) નારાયણદાસ કાયસ્થ ભગવદનામ સ્મરણ હંમેશ કરવું; ‘ગોકુલ કબ ચલેંગે’ યાદ કરવા માણસને રાખ્યો.


(૫૮)નારાયણદાસ ભાટ પ્રભુ કૃપા કરે તો સ્વયં પધારે છે; સ્વપ્નથી શ્રીમદનમોહનજીને વૃંદાવન રામબાગમાંથી જમીન ખોદી, પધરાવ્યા.


(૫૯) નારાયણદાસ લોહાણા ઠઠ્ઠાના વૈષ્ણવની ટહેલ નિષ્ફળ જતી નથી; કન્યાદાન માટે પૈસા આપવાથી કેદમાંથી છૂટી ગયા.


(૬૦) દામોદરની માતા વીરબાઈ પ્રભુ-આજ્ઞાથી કોઈ પણ પરિસ્થિતિમાં સેવા કરાય છે; સુવાવડમાં સેવા કરી અને પછી અપરસ પણ કાઢી.


(૬૧) સિંહનંદના સ્ત્રી-પુરૂષ શ્રીઠાકોરજીને પરિશ્રમ ન પડે તેમ રહેવું; પ્રભુ-આજ્ઞાથી ઘરમાં સૂતાં, પણ શ્વાસ ન લીધો કે અવાજ આવે.


(૬૨) અડેલનો સુથાર શ્રીમહાપ્રભુજી પ્રીતિ નભાવે છે; સુથારને ઘેર જઈ રોજ દર્શન આપતા.


(૬૩) એક ક્ષત્રાણી સિંહનંદની દેવું કરી લાવેલ સામગ્રી પ્રભુ આરોગતા નથી; દેવાના પકવાન કરતાં, રોટી પ્રિય ગણી.


(૬૪) એક ક્ષત્રીય પરવના અન્યના હાથની સામગ્રી પ્રભુ ગમે ત્યાં હોય તો પણ આરોગે છે. અન્યમાર્ગીયને ત્યાં બનાવેલી, વૈષ્ણવના હાથની સામગ્રી શ્રીજી આરોગ્યા, એના પ્રભુ ભૂખ્યા રહ્યા. પછી તે અન્યમાર્ગીય વૈષ્ણવ થયો.


(૬૫)લઘુપૂરૂષોત્તમદાસ ચરણામૃતથી બુદ્ધિ સાત્વિક થાય છે; ધનિકોનાં કવિત્ત ન કરતાં શ્રીજી અને શ્રીમહાપ્રભુજીનાં (બેઉને) એક ગણી ઘણાં કવિત્ત કર્યા.


(૬૬)કવિરાજ ભાટ ત્રણ ભાઈઓ સોબતથી ઉદ્ધાર થાય છે; કવિરાજ વૈષ્ણવ થયા પછી તેમની સોબતથી બંને ભાઈઓનો પણ ઉદ્ધાર થયો.


(૬૭) ઇંટોડાના ગોપાલદાસ સિદ્ધાંત-રહસ્ય ગ્રંથથી સ્વરૂપજ્ઞાન થાય છે; જ્ઞાન થવાથી, શ્રીમહાપ્રભુજીના ઘણા ચોખરા ગાયા.


(૬૮) જનાર્દન ચોપડા ક્ષત્રી સત્સંગ ભગવદીયનો કરવો; વાસુદેવદાસના સંગથી, પોતે પણ ભગવદીય બન્યા.


(૬૯) ગડૂસ્વામિ સનોડીયા શ્રીઠાકોરજી કૃપા કરે તો સ્વામીને પણ સેવક કરે છે. ‘સ્વામી’ હતા, પણ ભગવદ્-આજ્ઞાથી, શ્રીમહાપ્રભુજીના સેવક થયા.


(૭૦) કનૈયાલાલ ક્ષત્રી ભગવદ્-જ્ઞાન ગમે તેની પાસેથી લઇ શકાય; શ્રીમહાપ્રભુજીએ ગ્રંથ ભણાવ્યા હતા તે ગ્રંથો શ્રીગુસાંઇજી કનૈયાલાલ પાસે ભણ્યા.


(૭૧) નરહરિદાસ ગોડીઆ ‘પ્રભુસેવા’ કરનાર કોઈ ન હોય તો ગુરૂને ત્યાં પધરાવવી. શ્રીમદનમોહનજી શ્રીગુસાંઇજીને ઘેર પધરાવ્યા.


(૭૨) બાદરાયણદાસ શ્રીમહાપ્રભુજી વૈષ્ણવોને મોટા નામથી બોલાવે છે.


(૭૩) નરહર સંન્યાસી ‘બ્રહ્મ સંબંધ’ વખતે વ્રતની આવશ્યક્તા; સ્વામિનું મન બધે હોય અને ગૃહસ્થીનું ગૃહસસ્થાશ્રમના દુઃખમાં જ હોય, માટે વેણી કોઠારીને વ્રત ન કરાવ્યું.


(૭૪)સદુ પાંડે, ભવાની,નરો પ્રભુ ભુલકણા બાળક છે;


(૭૫) ગોપાલદાસ જટાધારી અન્ય માર્ગીય સંગથી બુદ્ધિ ફરે છે, શ્રીના પંખાની સેવા છોડી, યાત્રાએ ગયા.


(૭૬) કૃષ્ણદાસ સ્ત્રી-પુરૂષ વૈષ્ણવની સેવાથી દુર્બુદ્ધિ પણ ફરે છે; વાણિયાને ત્યાંથી વચન આપી, સામગ્રી લાવી, વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો. વચન પાળવા જતાં, વાણિયાની બુદ્ધિ દૈવી થઈ ગઈ અને શ્રીમહાપ્રભુજીને શરણે આવ્યો.


(૭૭) સંતદાસ ચોપડા ક્ષત્રી વૈષ્ણવની સંપત્તિ પર ગુરૂનો જ હક્ક છે; ગરીબી આવવા છતાં પણ નારાયણદાસની હૂંડી ન રાખતાં, ઉપરથી એક ટકો આપી ગુરૂઘરે મોકલી દીધી.


(૭૮) સુંદરદાસ માધવદાસ વૈષ્ણવનો સંગ કરવાથી વૈષ્ણવ થવાય છે; સુંદરદાસની વિનંતીથી, આચાર્યશ્રીએ બતાવ્યું કે માધવદાસના ઠાકોરજીના સામગ્રી પ્રેત ખાઈ જતા હતા. ત્યાર પછી શરણે આવ્યા.


(૭૯)માવજી પટેલ વિરજો સ્ત્રી-પુરૂષ જગદીશમાં પ્રસાદ છોવાતો નથી; વૈષ્ણવોને શ્રીગુસાંઈજીની આજ્ઞાથી જગન્નાથજી લઈ જઈ, સખડી-મહાપ્રસાદ લેવડાવ્યો.


(૮૦)ગોપાલદાસ નરોડાવાળા પ્રભુના કામે ગયા હોય તો પણ કહેવું નહી; છોકરાંએ ‘પ્રભુ કામે ગયા છે’ કહ્યું. તેથી આપશ્રી પાછા જતા હતા, પણ ગોપાલદાસે ‘પેટ માટે ગયો હતો’ કહેવાથી, પાછા એમને ઘેર પધાર્યા.


(૮૧) સૂરદાસ વાણિયો પ્રભુ ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે; બાકી રહેલા પદ ‘સૂરશ્યામ’ નામથી પૂરા કર્યા. ‘ભગવદીયની કૃપાથી બુદ્ધિ ફરે છે’, સૂરદાસે ઘણા ધક્કા ખાઇને પણ અંતે વાણિયાને શરણે કરાવ્યો.


(૮૨) પરમાનંદદાસ ભગવદીય મારફત પ્રભુ કૃપા કરે છે જ; હરિદાસ જલધરિયા મારફત ‘સ્વામીપદ’ છોડી, શ્રીમહાપ્રભુજીને શરણે આવ્યા.


(૮૩) કુંભનદાસ વૈષ્ણવો જીવોનું સારું ઈચ્છે છે; એમની કૃપાથી જ જીવને સૂતકમાં દર્શન થાય છે.


કૃષ્ણદાસ ગાય-સેવા અને પ્રભુ-સેવા એક જ છે; ગાય બચાવવા, દેહ-ત્યાગ કરી, સિંહની પાસેથી ગાય છોડાવી.


(૮૪) કૃષ્ણદાસ અધિકારી

શ્રીવલ્લભ જીવના દોષ મનમાં રાખતા નથી. છ માસ વિરહ કરાવ્યા છતાં (અધિકારપદ પર) અધિકારગાદી પર, કૃષ્ણદાસને પહેલા બેસાડ્યા, પછી આપ સેવામાં નાહ્યા. શ્રી વલ્લભાધીશકી જય, શ્રીગુસાઈજી પરમદયાલકીજય જય જય શ્રી ગોકુલેશ.


114 views0 comments

Comments


© 2020 by Pushti Saaj Shringar.

bottom of page